38 C
Ahmedabad
May 14, 2026
National

મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશની ઘટના બની

અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી

બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૩ મે ૨૦૨૬ — મહારાષ્ટ્રના બારામતીમાં ફરી એકવાર પ્લેન ક્રેશ થયાની માહિતી સામે આવી છે. આ પ્લેન એક ટ્રેઇની વિમાન હતું. માહિતી અનુસાર આ ટુ સીટર વિમાન બારામતીના ગોજુબાબી ગામમાં જ તૂટી પડ્યું હતું. તેમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાયાની માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારનું પ્લેન પણ અહીં જ બારામતીમાં ક્રેશ થયું હતું. બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ એ જ બારામતી વિસ્તાર છે જ્યાં અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. ફરી એકવાર એ જ સ્થળે પ્લેન ક્રેશ થતાં સુરક્ષા અને ટેક્નિકલ પાસાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે.

Related posts

Inflation is rattling markets — here’s what you should know about consumer prices

Police-Story

પ્રધાનમંત્રી મોદીએ કર્યું ગંગા એક્સપ્રેસવેનું ઉદ્‌ઘાટન

Police-Story

સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ, ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન

Police-Story

Leave a Comment