38 C
Ahmedabad
May 14, 2026
National

મહારાષ્ટ્રના બારામતીમાં ફરી પ્લેન ક્રેશની ઘટના બની

અજિત પવાર સાથે વિમાન દુર્ઘટના અહીં જ ઘટી હતી

બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી

(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તા.૧૩ મે ૨૦૨૬ — મહારાષ્ટ્રના બારામતીમાં ફરી એકવાર પ્લેન ક્રેશ થયાની માહિતી સામે આવી છે. આ પ્લેન એક ટ્રેઇની વિમાન હતું. માહિતી અનુસાર આ ટુ સીટર વિમાન બારામતીના ગોજુબાબી ગામમાં જ તૂટી પડ્યું હતું. તેમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાયાની માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારનું પ્લેન પણ અહીં જ બારામતીમાં ક્રેશ થયું હતું. બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ એ જ બારામતી વિસ્તાર છે જ્યાં અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. ફરી એકવાર એ જ સ્થળે પ્લેન ક્રેશ થતાં સુરક્ષા અને ટેક્નિકલ પાસાઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે.

Related posts

રાઘવ ચઢ્ઢા સહિતના કેટલાક સાંસદોએ કર્યો પક્ષપલટો, આપ છોડી વિધિવત ભાજપમાં સામેલ

Police-Story

Inflation is rattling markets — here’s what you should know about consumer prices

Police-Story

શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ

Police-Story

Leave a Comment